Tuesday, April 9, 2024

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને શાળા પરિવાર તરફથી શુભેચ્છા ભેટમાં એક પેન અને સર્ટિફિકેટ ફાઈલ આપવામાં આવી હતી. તથા શાળાને એક દિવાલ ઘડિયાળ ચૌહાણ પરિવાર તરફથી આપવામાં આવી હતી. સી.આર.સી તેમજ શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. છેલ્લે તમામ બાળકોને ભોજનમાં મિક્સ ભજીયા, ચટણી, છાસ અને સ્વીટ આપવામાં આવ્યું હતું.

Wednesday, January 31, 2024

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓ નો હૃદય પૂર્વક આભાર

          નાનજી કાલિદાસ કન્યાશાળામાં દાતાશ્રીઓ તરફથી મળેલ રકમમાંથી શાળાના તમામ બાળકોને આઈ કાર્ડ બનાવી આપવામાં આવ્યા. કાર્ડમાં બાળકની તમામ વિગત સાથે માતાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે, આ કાર્ડ શાળાની તમામ માતાઓને સમર્પિત કરવામાં આવે છે. દાતાશ્રી નો આભાર વ્યક્ત કરતા એસ.એમ.સી અધ્યક્ષે જણાવ્યું હતું કે આ અમારા માટે ગર્વની વાત કહેવાય કે માતાનું નામ કાર્ડમાં આપ્યું.
       દાતાશ્રીઓ અશોકભાઈ ચુડાસમા (U.K), જયભારતીબેન ચુડાસમા (U.K), ભદ્રાબેન નાગર (U.K)તથા લક્ષીકાબેન પરમાર (U.K). તમામ દાતાશ્રીઓનો આચાર્યશ્રી, શાળા પરિવાર , એસ.એમ.સી. સભ્યો તથા બાળકો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે.

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને ...